Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પથકમાં અજાણ્યા વાહનની અડફટે આવતા મોત.

Share

અંકલેશ્વર પથક અને ખાસ કરીને અંકલેશ્વર નજીક થી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની અડફટે આવતા મોત નિપજ્યા હોય તેવા બનાવ વધુ બની રહ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ ખાતે નોંધાયેલ ફરિયાદ માં ફરીયાદી.અલ્પેશ કુમાર જીતેન્દ્રકુમાર વિરડીયા રહે.એ.કે. રોડ , વરાછા , સુરત -૬ , સુરત શહેર , ઍ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ માર્ગ અકસ્માતના બનાવમાં ભરતભાઇ લાલજીભાઇ વિરડીયા, ઉવ.૨૬ રહે.૩૫ સ્યામ સુંદર સોસાયટી, મીનીબજાર, એ.કે. કોડ, વરાછા સુરત નું કરુણ મોત ગંભીર ઇજાના પગલે થયું હતું આ કરુણ બનાવ તા. ર૩/૧૦/ર૦ર૦ ના કલાકે સવારે 0૯/00 ના અરસામાં ને.હા. નંબર ૪૮ ઉપર અમર તૃપ્તિ હોટલની પાસે સુરત થી અંકલેશ્વર તરફ જતા રોડ ઉપર બન્યો હતો. આ બનાવ અંગે ની વિગત જોતા ભરતભાઇ વિરડીયા ને અમર તૃપ્તિ હોટલની સામે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઇ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી પોતાનું વાહન લઇ નાસી ગયા હતા. જયારે ગંભીર ઇજા ગ્રસ્ત ભરતભાઈ નું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરાયો…

ProudOfGujarat

ભરૂચ શહેર શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા રાણા સમાજની વાડીના લાભાર્થે છેલ્લા ૩૮ વર્ષોથી શરદ પૂર્ણિમા તેમજ ચાંદની પડવા નિમિત્તે માવાઘારી બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગામે આર.ટી.આઇ હેઠળ સમયસર માહિતી ન અપાતા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!