Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પથકમાં અજાણ્યા વાહનની અડફટે આવતા મોત.

Share

અંકલેશ્વર પથક અને ખાસ કરીને અંકલેશ્વર નજીક થી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની અડફટે આવતા મોત નિપજ્યા હોય તેવા બનાવ વધુ બની રહ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ ખાતે નોંધાયેલ ફરિયાદ માં ફરીયાદી.અલ્પેશ કુમાર જીતેન્દ્રકુમાર વિરડીયા રહે.એ.કે. રોડ , વરાછા , સુરત -૬ , સુરત શહેર , ઍ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ માર્ગ અકસ્માતના બનાવમાં ભરતભાઇ લાલજીભાઇ વિરડીયા, ઉવ.૨૬ રહે.૩૫ સ્યામ સુંદર સોસાયટી, મીનીબજાર, એ.કે. કોડ, વરાછા સુરત નું કરુણ મોત ગંભીર ઇજાના પગલે થયું હતું આ કરુણ બનાવ તા. ર૩/૧૦/ર૦ર૦ ના કલાકે સવારે 0૯/00 ના અરસામાં ને.હા. નંબર ૪૮ ઉપર અમર તૃપ્તિ હોટલની પાસે સુરત થી અંકલેશ્વર તરફ જતા રોડ ઉપર બન્યો હતો. આ બનાવ અંગે ની વિગત જોતા ભરતભાઇ વિરડીયા ને અમર તૃપ્તિ હોટલની સામે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઇ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી પોતાનું વાહન લઇ નાસી ગયા હતા. જયારે ગંભીર ઇજા ગ્રસ્ત ભરતભાઈ નું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરાની યુવતી માયુશી ભગત અમેરિકામાં ગુમ થતાં એફ.બી.આઈ એ 3 વર્ષ પછી મિસિંગ યાદીમાં જાહેર કરી.

ProudOfGujarat

નર્મદામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી : મહારાષ્ટ્રથી આવેલ યુવકનો કોરોના પોઝીટીવ.

ProudOfGujarat

સમગ્ર ગુજરાતમાં યુવતીઓ અને મહિલાઓ સ્વરક્ષણ કરી શકે તે માટે કરાટેની તાલીમ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!