Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા….

Share

ભરૂચ જનસેવા કેન્દ્રમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે. કોરોના કાળમાં ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જેવા અનેક નિયમો સરકારી ગાઈડલાઇન અનુસાર પાળવાના હોય છે. સરકાર અને તંત્ર દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સ ન રખાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ભરૂચ જનસેવા કેન્દ્રમાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવવામાં, આવતું સરકારી તંત્ર દ્વારા સામાન્ય પ્રજાને કોરોનાની ગાઈડલાઇન આપવામાં આવી છે જેનું પાલન સરકારી કચેરીમાં જ જાળવવામાં આવતું ન હોવાની વ્યાપક ફરિયાદો લોકમુખે ચર્ચાઇ રહી છે. કોરોનાનાં કહેર વચ્ચે કામ વગર બહાર ન જવું, ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જેવા નિયમો પાળવાનું કહેવાય છે પરંતુ સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કેમ થતું નથી ? સરકારી કચેરીઓમાં અવાર-નવાર અહીંનાં આજુબાજુનાં વિસ્તારમાં પણ અરજદારો આવતા હોય છે, કોરોનાની ગાઈડલાઇનનું પાલન ન થાય, સરકારી કચેરીમાંથી જ કોરોના ન વકરે તો સારું ? તેવા પ્રશ્નો પણ અહીં આવતા અરજદારોએ કર્યા હતા. આ અત્યંત નવાઈની વાત છે, સમગ્ર ભરૂચમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા કલેકટર દવરા લોકોને અપીલ કરવામાં આવે છે પરંતુ જનસેવા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડતા જોવા મળતા ચિંતાનો વિષય બન્યો છે.

Advertisement

Share

Related posts

ચોરીના ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ‘સી’ ડિવીઝન પોલીસ

ProudOfGujarat

ભરુચ : પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રખાયો

ProudOfGujarat

ભરૂચ : રિલિફ ટોકીઝ સામે લૂંટ કરનાર ત્રણ ઇસમોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!