Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બીટીપી અને AIMIM વચ્ચે ગઠબંધન કરી ચૂંટણી જંગમાં ઝંપલાવવાથી રાજકારણમાં ગરમાવો.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોનાં કાવાદાવા શરૂ થઈ રહ્યા છે ત્યારે બીટીપીએ ઓવેસી સાથે ગઠબંધન કરી ચૂંટણી જંગમાં પોતાના હોવાના કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે તો મનસુખ વસાવાના રાજીનામા નાટક મુદ્દે છોટુ વસાવાએ કહ્યું હતું કે તે સાંસદને લાયક જ નથી ત્યારે હવે રાજકીય પક્ષો પણ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ વાતાવરણ ગરમ કરી રહ્યા છે.

બીટીપી અને AIMIM વચ્ચે ગઠબંધનનાં મામલે AIMIM નાં નેતાઓ ગુજરાતમાં ધામા નાંખી રહ્યા છે ત્યારે સૌપ્રથમ વડોદરા, ભરૂચ, અને સુરત ખાતે સંગઠનને મજબૂત કરવા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં મહારાષ્ટ્રના MP ઇમ્તિયાઝ જલીલ અને માજી ધારાસભ્ય વારીશ પઠાન દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જેઓ ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક આવી પહોંચતા છોટુભાઈ વસાવાનાં બીટીપીના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ AIMIM ની ચૂંટણીલક્ષી મિટિંગમાં હાજરી આપવા અર્થે ઝઘડિયા પહોંચ્યા હતા.

ઝઘડિયામાં છોટુ વસાવાના નિવાસ્થાને મહારાષ્ટ્રના MP ઇમ્તિયાઝ જલીલ અને માજી ધારાસભ્ય વારીશ પઠાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચૂંટણીલક્ષી તથા ગઠબંધન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છોટુ વસાવાએ સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા કે સરકાર આદિવાસી લોકોની જમીન હડપવા લાગી છે જેના કારણે ગઠબંધન કરવું પડે છે અને ગુજરાતમાંથી ભાજપ કોંગ્રેસનો સફાયો કરીશું. તેઓએ તાજેતરમાં લોકસભાનાં સાંસદ મનસુખ વસાવાના અંગે હાસ્યસ્પદ રીતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તે સાંસદને લાયક જ નથી અને આવનારા સમયમાં બી.ટી.પી અને ઓવેસી સાથેના ગઠબંધન સાથે ચૂંટણી જંગ માફ કરવાની તૈયારીઓ પણ બતાવી હતી.

Advertisement

Share

Related posts

AU સ્મોલ ફાઇનાન્સ બેંકના ‘AU હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ સાથે તહેવારોની મોસમની ઉજવણી કરો

ProudOfGujarat

ભરૂચ BDMA દ્વારા #METOO વિષય પર વ્યાખ્યાન યોજાયું…

ProudOfGujarat

પાલેજ – વલણ માર્ગ પર અકસ્માતમાં એક યુવકનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!