Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકામાં વડ ઉદવહન યોજનાનું પાણી ટેસ્ટિંગ કરાતા નીરનાં વહેણ આવતા જગતનો તાત અને પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી.

Share

માંગરોળ તથા માંડવી તાલુકાના કાકરાપાર, ગોરધા, વડ ઉદવહન યોજનાનાં લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનાં હસ્તે તા.૧૦/૦૧/૨૦૨૧ ના રોજ સઠવાવ તા. માંડવી મુકામે રાખેલ જેમા માનનીય સિનીયર કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા તથા કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની હાજરીમાં રાખેલ હોય જે માટે આજરોજ એક અગત્યની મિટીંગ મળી જેમા તાપી મૈયાનાં વધામણાથી માંગરોળ તાલુકાનો વર્ષો જુનો પાણીનાં પ્રશ્નનો નિકાલ આવતા સૌ કાર્યકર્તાઓએ મંત્રી ગણપતભાઇ વસાવા સાહેબનો આભાર માન્યો હતો.

આજરોજ ટેસ્ટિંગ કરાતા તાલુકામાં પાણીનાં નીર વહેતા થતા ખેડૂતો આંનદ વિભોર બની ગયા હતા. ખેડૂતોમાં આંનદોલ્લાસ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ મંત્રી ગણપતભાઈ વસાવાનો આભાર માન્યો હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કેટલું થયું જાણો.

ProudOfGujarat

જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં ફરાર આરોપીને હાજર થવા રાજકોટ કોર્ટનો આદેશ.

ProudOfGujarat

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!