Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીની શાળામાં ધો.૧૦ અને ૧૨ નાં વર્ગો શરૂ કરાયા.

Share

કોરોના મહામારીને લઇને શાળાઓમાં શૈક્ષણિક ક‍ાર્ય બંધ હતુ ત્યારે તાજેતરમાં રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ જરૂરી નિયમોના પાલન સાથે ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિદ્યાર્થીઓને શાળાઓમાં અભ્યાસ કરવાની છુટ આપવામાં આવી છે

તેના અનુસંધાને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો ચાલુ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન શાળાના આચાર્ય મંગુભાઇ વસાવા, આરોગ્ય વિભાગના છોટુભાઇ વસાવા, ભાગ્યલક્ષ્મી દિવાકર, દર્શનાબેન તેમજ પ્રીત માછીએ થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું તાપમાન તપાસીને પ્રવેશ આપ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યને લગતી જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. શાળામાં પ્રવેશતા છાત્રોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. તેમજ જરૂરી નોંધ કરવામાં આવી હતી, અને સામાજીક અંતરનો ખ્યાલ રાખીને વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં બેસાડવામાં આવ્યા હતા. કોરોના મહામારી અંતર્ગત લાંબા સમય પછી શાળાઓમાં અમુક વર્ગોની શરૂઆત કરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા પરિવારે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

૨૦૨૪ લોકસભા ચૂંટણીને અનુલક્ષી નબીપુર પોલીસ મથક દ્વારા સંવેદનશીલ ગામોમાં CPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે ” એક શામ શહીદો કે નામ ” કાર્યક્રમમાં હાજર રહેલ શહીદોના ૨ પરિવારોને ૧-૧ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો.બાકીની રકમ શહીદોના ઘરે જઈ ને હાથો હાથ ચેક અર્પણ કરાશે…

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અચાનક કારમાં આગ ભભૂકી: કાર ચાલકનો બચાવ પરંતુ કાર બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!