Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં ઉચેડિયા ગામે રૂપિયાની ઉઘરાણી કરનાર ઇસમો દ્વારા ફોર વ્હીલ ગાડીનું અપહરણ…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડિયા ગામે આવેલ સર્પેશ્વર મહાદેવના મંદિરના મહંતના ડ્રાઇવરને માર મારીને ફોર વ્હીલ ગાડીનું અપહરણ કરાયુ હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.

મળતી વિગતો મુજબ તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા કિરણ નટુભાઇ ચૌધરીએ મહંત ભુતનાથ બાપુ તથા ડ્રાઇવર જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પપ્પુભાઇ જૈનને દોઢેક વર્ષ પહેલા કોઇ હેતુ માટે રૂ.૧૩,૫૦,૦૦૦ આપેલ હતા. ભુતનાથ બાપુ છેલ્લા સાતેક મહિનાથી ગુજરી ગયા છે તેથી કિરણભાઇ જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. દરમિયાન તા.૧૨ મીના રોજ કિરણ નટુભાઇ ચૌધરી અન્ય માણસોની મદદથી ગુનાહિત કાવતરુ રચીને બે ફોર વ્હીલ ગાડીઓમાં ઉચેડિયા આવીને જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પપ્પુભાઇ જૈનને માર મારીને રૂ.વીસ લાખની ફોર વ્હીલ ગાડીનું અપહરણ કરી ગયા હતા. આ અંગે ઉચેડિયા સર્પેશ્વર મહાદેવ મંદિરના મહંત રાજગુરુ રાધેબાપુએ ઝઘડીયા પોલીસમાં કિરણ નટુભાઇ ચૌધરી રહે.વ્યારા જિ.તાપી અને તેની સાથેના અન્ય પાંચ ઇસમો વિરુદ્ધ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સુરતના કોસાડમાં ગેરકાયદે ચાલતી દુકાનો મનપાએ કરી સીલ.

ProudOfGujarat

ભરૂચ : મુલદ ટોલનાકા પાસે ફરી ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાઈ ફાસ્ટટેગ બાદ પણ ટ્રાફિકજામ.

ProudOfGujarat

અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનો પીએમના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!