Proud of Gujarat
FeaturedGujaratINDIA

પત્રકાર એકતા સંગઠન–ગુજરાતની ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

Share

પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ તાલુકાના પત્રકારો ખાસ ઉપસ્થિત રહયા હતા. જેમા ભરૂચ તાલુકા ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ તાલુકાનાં પત્રકારોનો અભિપ્રાય તેમજ સલાહ સુચન લેવામાં આવ્યા હતાં અને આગામી સમયમાં તેઓનાં સુચનો અંગે સંગઠન દ્ધારા કામ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ સુચનોમાં એક સુચન એવું પણ હતું કે, માહિતી કચેરી દ્ધારા પત્રકારોને પ્રેસનોટ તેમજ ફોટોગ્રાફ આપવામાં આવે જ છે પરંતુ તેની સાથે તેઓ દ્ધારા એક વિડીયો ક્લિપ પણ આપવામાં આવે તો ન્યુઝ ચેનલોને તે સમાચાર કવરેજ કરવામાં સરળતા રહે તેવું પણ સુચન સંગઠનને કરવામાં આવેલ હતું તેનાં અનુસંધાને ઝોન–૩ નાં પ્રભાર ધર્મેશભાઈ મિસ્ત્રી દ્ધારા આ અંગે ટુંક સમયમાં અધિકારીઓ સાથે મળી કરી યોગ્ય રાહે કામ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી તેમજ પત્રકારોને પડતી નાની–મોટી સમસ્યાનું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જ સમાધાન તેમજ તે અંગે આગળની કાર્યવાહી કરવા અંગે બાંહેધરી આપવામાં આવેલ હતી.

પત્રકાર એકતા સંગઠનમાં મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો તરીકે ઝોન–૩ નાં પ્રભારી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વિનોદ જાદવ, જિલ્લા કો–ઓર્ડીનેટર નીરૂબેન આહીર, ભરૂચ તાલુકા પ્રમુખ મનોજ ખંભાતા તેમજ ઉપપ્રમુખ દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાનાં મોટા પ્રમાણમાં સંગઠન સાથે જોડાયેલા પત્રકારો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે ગુરુશીખ શિકલીગર સમાજસેવા ટ્રસ્ટ દ્રારા ગુરુનાનકદેવજીના જન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયતના સ્થળે વૃક્ષારોપણ કરી પોષણ માસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલને દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!