Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ પાણી નહીં મળે ..!!! જાણો કેમ ?

Share

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે. અંકલેશ્વરની કેનાલની કામગીરીને કારણે આ વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ સુધી પાણી વગર ચલાવવું પડશે અથવા અંકલેશ્વરનાં રહેવાસીઓએ ટેન્કર મંગાવી પાણી મેળવવું પડશે.

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રાજપીપળા ચોકડી પાસે કેનાલની કામગીરીને લઈ અંકલેશ્વરનાં રહેવાસીઓએ બે દિવસ પાણી વગર ચલાવવું પડશે. નગરપાલિકાનાં તળાવમાં આગામી પાંચ દિવસ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો છે. એક તરફ કોરોના કાળ છે જેમાં સરકાર દ્વારા નાગરિકોને વારંવાર હાથ ધોવાની સૂચના આપવામાં આવે છે આવા સંજોગોમાં ધનાઢય પરિવારો તો પાણીનાં ટેન્કર અથવા અન્ય કોઈ રીતે વ્યવસ્થા કરી શકે પરંતુ મધ્યમ વર્ગીય પરિવારો પાણી વગર બે-બે દિવસ સુધી કેમ કામ કરી શકે ? તેવા અનેક પ્રશ્નો આ વિસ્તારનાં રહેવાસીઓનાં મુખે ચર્ચાઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ગણતંત્ર દિવસની પાલેજમાં ધામધૂમથી ઉજવણી કરાશે.

ProudOfGujarat

માંગરોળ : ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે બોર્ડના કેન્દ્રએ આનંદ ઉલ્લાસથી પહોંચ્યા

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે પ્રથમવાર ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!