Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહીદ દિવસ નિમિત્તે ઉમરપાડાનાં વીર સૈનિક દિગ્વિજયસિંહ વસાવાનાં સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

ઉમરપાડા તાલુકાના જૂના ઉમરપાડા ગામ સ્થિત શહીદ દિગ્વિજયસિંહ વસાવાનાં સ્મારક ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરપાડાના વીર શહીદ સૈનિક દિગ્વિજયસિંહ વસાવાના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વીર શહીદ સૈનિક દિગ્વિજયસિંહ વસાવાના માતા રાધાબેનનું શાલ ઓઢાડીને નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કમલેશભાઈ ભરવાડ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

કોલેજના પ્રાધ્યાપક ડો.હિમાંશુ મહેતાએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના વીર શહીદ સપૂતોના બલિદાનને સત સત નમન કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારતદેશ વીરોની ભૂમિ છે અહીં કાયરો પેદા થતા નથી ઉમરપાડાની ભૂમિ વીરની ભૂમિ છે. શાળાના આચાર્ય પ્રવીણભાઈ ચૌધરીએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે ઉમરપાડાનો શહીદ સૈનિક દિગ્વિજયસિંહ વસાવા મારો વિદ્યાર્થી હતો. તેના બલિદાનઅને શહાદતને યાદ કરતા-કરતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

Advertisement

આ કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના સભ્યો, કોલેજના વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક પ્રકાશ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમ્યાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ProudOfGujarat

નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ આદીવાસી સગીર કન્યા પર ગુજારેલ બરબર બલત્કાર

ProudOfGujarat

સુરેન્દ્રનગર : બોડીયા ગામનાં ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!