Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં શબેબરાત પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક અને સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરાઇ હતી.

Share

ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર પર્વ શબેબરાતની મુસ્લિમ સમાજના લોકો દ્વારા સાદગીપૂર્વક ઉજવણી કરાઇ હતી. શબેબરાત પ્રસંગે ભરૂચ શહેર તેમજ પાલેજ નગરના વિવિધ વિસ્તારોમાં તેમજ પાલેજ પંથકના ગામોમાં આવેલી મુસ્લિમ સંપ્રદાયની મસ્જિદો તથા દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી.

હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની માર્ગદર્શિકાને અનુસરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે પર્વની ઉજવણી કરાઇ હતી. શબેબરાત પર્વ મુખ્યત્વે આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા મર્હુમો માટે વિશેષ મહત્વ ધરાવતું પર્વ હોય મુસ્લિમ બિરાદરો દ્વારા આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા પોતાના સ્વજનોને ખીરાજેઅકીદત પેશ કરી ખાસ યાદ કરવામાં આવ્યા હતા.

વિશ્વમાં અમન અને શાંતિ કાયમ રહે તેમજ વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી દૂર થાય એ માટે પણ વિશેષ દુઆ માંગવામાં આવી હતી. પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, સેગવા, માંચ, જંગાર, વલણ, માંકણ, મેસરાડ, કંબોલી તેમજ ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ શબેબરાત પર્વની ઉજવણી કરાઇ હતી.

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

ભરૂચનાં દહેજ જીઆઇડીસી યશસ્વી રસાયણ કંપનીમાં ગઈકાલે આગ લાગવાની ઘટનામાં મૃત્યુ આંક 10 ઉપર ગયો છે ત્યારે ઘાયલોની સંખ્યા 70 ઉપર પહોંચી છે આજે પણ એક ટેન્કમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ ખાતે પતિ સાથેના અણબનાવ વચ્ચે પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

રાજકોટ (જસદણ) : એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.માતાને સારવાર હેઠળ ખસેડાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!