Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરની પોસ્ટઓફિસમાં કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ઉલાળિયો.

Share

અંકલેશ્વરની પોસ્ટઓફિસ પર સોશ્યલ ડિસ્ટન્સનાં ધજાગરા થતાં જોવા મળ્યા છે. અંકલેશ્વરની મુખ્ય પોસ્ટઓફિસમાં લોકોની ભારે ભીડનાં દ્રશ્યો જોવા મળ્યા છે. તો એક તરફ કોરોનાનો કાળો કહેર છે તેવામાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતનાં સરકારી નિયમોનાં ધજાગરા ઉડતા હોય તેવો માહોલ સર્જાયો છે. ચૌટા બજારની મુખ્ય પોસ્ટઓફિસ ખાતે લોકો સામાન્ય રીતે કોરોનાનાં કેસ ઘટયા હોય તેવી રીતે કામગીરી કરતાં હોય પરંતુ કોરોનાનો કાળમુખી પંજો હજુ ઓછો થયો નથી તંત્ર દ્વારા પણ કોઈ તકેદારી રાખવામાં આવતી નથી.

અહીં નોધનીય છે કે એક તરફ સરકાર દ્વારા કોરોનાની વેકસીનની ઝુંબેશ હાથ ધરાતા કેસમાં ઘટાડો કરવાની વાતો થાય છે ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓ, પોસ્ટઓફિસ સહિતનાં સ્થળો પર લોકોની ભારે ભીડ થવાથી કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ઉલાળિયો થતો જોવા મળ્યો છે. તંત્રની ઘોર બેદરકારીનાં કારણે કોરોનાનાં પંજામાં વધુને વધુ લોકો હોમાય રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : દઢાલ ગામની અમરાવતી નદીમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ ચાર ડૂબ્યા : ત્રણનાં મોત, એકની હાલત ગંભીર.

ProudOfGujarat

ભરૂચ : નવજીવન હ્યુન્ડાઈ ખાતે નવી ગ્રાન્ડ i10 NIOS અને AURA નું લોન્ચિંગ કરાયું.

ProudOfGujarat

ડાકોરમાં ફાગણી પુનમના મેળાનું સુચારૂં આયોજન અંગે વહીવટીતંત્રની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!