Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈસા ફાઉન્ડેશન યુ.કે.ના સૌજન્યથી તેમજ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇખર ગામના ગરીબ વર્ગના પરિવારોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના મુસ્લિમ ગરીબ વર્ગના પરિવારોને ૩૭૦ જેટલી અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી રમજાન માસ જ્યારે નજીક આવી રહ્યો હોઇ ત્યારે મુસ્લિમ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરતમંદ ગરીબ વર્ગના પરિવારોને મદદરૂપ બની અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત યુ.કે. સ્થિત સેવાભાવી ઈસા ફાઉન્ડેશનના સૌજન્યથી મુન્શી ચેરીટેબલ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આમોદ તાલુકાના ગામમાં વસતા મુસ્લિમ ગરીબ પરિવારોને ૩૭૦ જેટલી અનાજની કિટ્સનું વિતરણ કરી એક સેવાભાવી કાર્ય કર્યું હતું. દેશ – વિદેશની અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ સમયાંતરે ગરીબ વર્ગના પરિવારોને નિસ્વાર્થરૂપે મદદરૂપ બની સેવાની સરાહનીય સરવાણી વહાવી એક ઉમદા દ્રષ્ટાંતરૂપ અને પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે.

યાકુબ પટેલ:- ભરૂચ

Advertisement

Share

Related posts

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા

ProudOfGujarat

ભારત સહિત વિશ્વના 110 દેશો ખાતે કોરોના વેક્સિનેશન જાગૃતિ અંગેની ઝી-20 સમિટમાં રાજપીપળાનાં યુવરાજ માનવેન્દ્રસિંહ ભાગ લેશે.

ProudOfGujarat

ભરૂચ હાઇવે પર અજાણ્યા કારની ટક્કરે બાઇક સવાર બે પૈકી એકનું મોત, એક ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!