Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રાણાને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર લખીને રજુઆત..!! કહ્યું સ્થિતિ વિકરાળ સ્વરૂપ લઇ રહી છે..!!

Share

ઔદ્યોગિક એકમ ધરાવતા ભરૂચ જિલ્લાને મેડીકલ સુવિધા, વેન્ટીલેટર, રેમડીસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન સેટમાં વધારો કરવો, બેડની સંખ્યામાં વધારો કરવો સહિત વેકશીનનાં ઇન્જેક્શનનો જથ્થામાં અછત ન સર્જાય તેવી વ્યવસ્થા કરવા જેવા મુદ્દે ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી છે.

કોરોના મામલે જિલ્લામાં સ્થિતિ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે તેમ પણ પત્રમાં અરૂણસિંહ રાણાએ ઉલ્લેખ કર્યો છે સાથે જ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને સ્થાનિક લોકોને આરોગ્યની સેવા માટે બીજા જિલ્લા પર નિર્ભર રહેવું પડે છે આમ પત્રમાં પાંચ જેટલા મુદ્દાઓ લખી સુવિધાઓ તુરંત મળે તેવી માંગ કરી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લામાં ઔધોગિક એકમો દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા જેવા વિસ્તારમાં આવેલ છે, જેમાં રોજમરોજ કામદારો તથા કંપનીના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની સેવા માટે બીજા જિલ્લા ઓર નિર્ભર બનવું તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સી.એમ. ને લખ્યો પત્ર.

ProudOfGujarat

અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો આજથી પ્રારંભ

ProudOfGujarat

મોંઘવારીની અસર : તાડફળીના ભાવમાં ધરખમ વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!