Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જિલ્લા આયુર્વેદિક શાખા અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

કોરોનાની હાલ સમગ્ર વિશ્વમાં ગંભીર પરિસ્થિતી છે તેમજ ગુજરાતમાં પણ દિન- પ્રતિદિન કોરોનાનાં કેસની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે ભરૂચમાં પણ કોરોનાની કથળતી જતી પરિસ્થિતીને ધ્યાને લઈને જિલ્લા આયુર્વેદિક શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ જિલ્લા આયુર્વેદિક શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે સવારે 8:00 કલાકે જાહેર જનતા માટે મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ રોડ ખાતે નગરપાલિકાનાં પ્રમુખ અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં લોકોને સ્વાસ્થયની સુખાકારી માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સર્વે નગરજનોએ કોરોનાથી બચવા માટે આ ઉકળા વિતરણનો લાભ લીધો હતો. જેમાં વિશેષ સેવા સેજલ એન. દેસાઇએ આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં રાજપુત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

ProudOfGujarat

નડિયાદ કપડવંજ મોડાસા રોડ પર ટ્રક ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!