Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જિલ્લા આયુર્વેદિક શાખા અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

કોરોનાની હાલ સમગ્ર વિશ્વમાં ગંભીર પરિસ્થિતી છે તેમજ ગુજરાતમાં પણ દિન- પ્રતિદિન કોરોનાનાં કેસની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે ભરૂચમાં પણ કોરોનાની કથળતી જતી પરિસ્થિતીને ધ્યાને લઈને જિલ્લા આયુર્વેદિક શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ જિલ્લા આયુર્વેદિક શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે સવારે 8:00 કલાકે જાહેર જનતા માટે મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ રોડ ખાતે નગરપાલિકાનાં પ્રમુખ અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં લોકોને સ્વાસ્થયની સુખાકારી માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સર્વે નગરજનોએ કોરોનાથી બચવા માટે આ ઉકળા વિતરણનો લાભ લીધો હતો. જેમાં વિશેષ સેવા સેજલ એન. દેસાઇએ આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાનાં 100 વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો પાક સુકાતા પાણી છોડવાની ખેડૂતોએ કરી માંગ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઠેરઠેર રસ્તા વચ્ચે જ રખડતા ઢોરને પગલે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર નિદ્રામાં..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!