Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલા બિલોઠીથી સામરપાડા જવાનો રસ્તો બંધ કરાતા ગ્રામજનો વિફર્યા.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બિલોઠી ગામથી સામરપાડા ફળીયામાં જવાનો મુખ્ય રસ્તો હતો, જે ગામના જ ખેડુત બાબુભાઈ બેડીયાભાઇ વસાવાએ પોતાની માલીકીની જગ્યામાંથી રસ્તો પસાર થતા હોવાનું જણાવી રસ્તામાં કાંટા અને લાકડા નાંખી રસ્તો બંધ કરી દેવામાં આવત સામરપાડા ફળીયામાં રહેતા ૩૫૦-૪૦૦ ગ્રામજનો માટેનો અવરજવર થવાનો રસ્તો બંધ થઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,

ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો ૬૦-૭૦ વર્ષથી તેનો ઉપયોગ અવરજવર માટે કરાઇ રહ્યો હતો, જવાબદાર લોકો દ્વારા આ રસ્તાને પાકો પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગામના જ ખેડુત બાબુભાઈ બેડીયાભાઇ વસાવા રસ્તો બંધ કરતો ગ્રામજનોમાં ભારે આક્રોશ જણાઇ રહ્યો છે, અને રસ્તાનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવા માટે નેત્રંગ મામલદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી, આ બાબત જવાબદાર અધિકારીઓ પ્રજાહિતના પ્રશ્નોના નિરાકરણ માટે ક્યારે પગલા ભરે તે ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

Share

Related posts

નર્મદાના બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવાની ધરપકડ કરવા ભાજપા અને બોગજ ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પી.એમ મોદીના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે.

ProudOfGujarat

વિરમગામના ભોજવા ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!