Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં પત્રકારોને નગરપાલિકા ખાતે ઉકાળો તેમજ આર્યુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ શહેરના પત્રકારો માટે આરોગ્ય ખાતાનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક દવાઓ તેનાજ ઉકાળાનું વિતરણ કરાયું હતું.

આ તકે નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પત્રકારો ચોથી જાગીર કહેવાય છે ગમે ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે ખડે પગે રહે છે. સમાજમાં બનતી કોઈ પણ ઘટનાને તેઓ લોકો સુધી પહોંચાડે છે. આથી પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તે માટે ભરૂચ આરોગ્ય શાખા નગરપાલિકા દ્વારા ઉકાળા વિતરણ અને આર્યુર્વેદિક દવાઓ, હોમિયોપેથીની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ઈલેકટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ લાભ લીધો હતો. આગામી સમયમાં પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તેઓ મજબુતીથી પોતાનું કાર્ય કરી શકે તે માટે તેમને આ ઉકાળા અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોલ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય, સુરત મહીંન્દ્રા કંપનીની બોલેરો પીકઅપરજી.નં-GJ-05-BZ-3708 માં ભેંસોની ગેરકાયદેસર હેરાફેરી પકડી પાડી કુલ કિંમત રૂ.૩,૩૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ૦૭ નાના પાડા-પાડીને બચાવી

ProudOfGujarat

અંકલેશ્વર : મોટર સાઇકલ ચોરીનાં વણ શોધાયેલ ગુનાનાં આરોપીને શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ખાતે ચોમાસા ના માહોલ દરમિયાન ગંદકી અને કાદવ કીચડ ના સામ્રાજ્ય થી કંટાળેલા સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખ ને રજુઆત કરી હતી……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!