Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં પત્રકારોને નગરપાલિકા ખાતે ઉકાળો તેમજ આર્યુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ શહેરના પત્રકારો માટે આરોગ્ય ખાતાનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક દવાઓ તેનાજ ઉકાળાનું વિતરણ કરાયું હતું.

આ તકે નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પત્રકારો ચોથી જાગીર કહેવાય છે ગમે ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે ખડે પગે રહે છે. સમાજમાં બનતી કોઈ પણ ઘટનાને તેઓ લોકો સુધી પહોંચાડે છે. આથી પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તે માટે ભરૂચ આરોગ્ય શાખા નગરપાલિકા દ્વારા ઉકાળા વિતરણ અને આર્યુર્વેદિક દવાઓ, હોમિયોપેથીની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ઈલેકટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ લાભ લીધો હતો. આગામી સમયમાં પત્રકારોનું સ્વાસ્થય સારું રહે તેઓ મજબુતીથી પોતાનું કાર્ય કરી શકે તે માટે તેમને આ ઉકાળા અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવી દીવી ખાતે કાછીયા પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી…

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાના સાયન્સ સેમીનાર સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!