Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોરોના કહેર વચ્ચે મોતનો તાંડવ યથાવત, ગતરાત્રી સુધી અનેક દર્દીઓએ દમ તોડયા, કોવિડ સ્મશાનમાં ૫૩ જેટલા મૃતદેહને અપાયા અગ્નિદાહ..!!

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કાળો કહેર યથાવત છે, જિલ્લામાં રોજના પોઝીટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અનેક દર્દીઓ સાજા થયા છે તો અનેક હોસ્પિટલમાં હજુ પણ સારવાર લઈ રહ્યા છે, સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા પ્રથમ રાત્રી કરફ્યુ અને ત્યારબાદ દિવસ દરમિયાન પણ વેપાર ધંધા ઉપર અનેક અંકુશ લાડવામાં આવ્યા છે.

વધતા સંક્રમણ વચ્ચે જ્યાં એક બાદ એક હોસ્પિટલો હાઉસફુલ થઇ રહી છે તો બીજી તરફ અનેક દર્દીઓ પોતાનો દમ તોડી રહ્યા છે, કોવિડ પ્રોટોકોલથી સ્મશાન અને કબ્રસ્તાનમાં રોજના મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત છે, ગતરાત્રી સુધી કોવિડ સ્મશાન ખાતે ૫૩ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

કોરોના મહામારી વચ્ચે ભરૂચમાં ભયંકર પરિસ્થિતિનું સર્જન થયું હોય તેમ કોવિડ સ્મશાન અને કબ્રસ્તાનમાં થયેલ અંતિમવિધિ અને દફનવિધિ ઉપરથી કહી શકાય છે, વર્તમાન પરિસ્થિતિ ભરૂચમાં વધુ વિકટ બની છે, જિલ્લામાં સંક્રમણ રોકવા માટે તંત્ર દ્વારા વેકશીનેશન ઝુંબેશ વધુ ઝડપી બનાવવામાં આવી છે.

Advertisement

મહત્વની બાબત છે કે કોરોનાની આ ચૅઇનને તોડવા માટે ભરૂચ જિલ્લાના લોકોની મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે, લોકો તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે, બિનજરૂરી પોતાના ઘરોની બહાર ન નીકળવું, ભીડભાડવાળા વિસ્તારમાં જતા અટકવું જોઈએ, જો થોડા પણ લક્ષણો જણાય તો પોતાના પરિવારના સભ્યોથી દુર રહી તાત્કાલિક પોતાનું ટેસ્ટ કરાવી લેવું જોઈએ અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી પોતાની કાળજી પોતે સ્વંયમ રાખવી જોઈએ તે જ સમયની પણ માંગ છે.


Share

Related posts

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા તથા યુ. સી. ડી. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલો થતા કડક કાર્યવાહી અંગે સંદીપ માંગરોલા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!