Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયામાં શુક્ર, શનિ અને રવિ સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન થશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, અને કોરોનાના લક્ષણો જેવી બીમારીની ફરિયાદો ઉઠવા પામી છે. ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા વેપારી મથકો હોવાથી અહીં આજુબાજુના ગામડાઓના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા, કાચો માલ વેચવા તથા સરકારી કામો માટે આવતા હોય છે, તેવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત રહે છે.

ગતરોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાજોગ એક વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાનુ સંક્રમણ વધવાના પગલે ઝઘડિયાના બજારોમાં શુક્ર, શનિ અને રવિવારે વેપાર-ધંધા સદંતર બંધ રાખવા અને સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરવામાં આવી હતી. શુક્રવારથી બંધ થયેલ બજારોમાં સંપૂર્ણ લોકડાઉન રાખી સોમવારે સવારે રાબેતા મુજબ બજારો ખુલશે, એમ જણાવાયુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરની શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી ની કેમિકલ એન્જીનીયરીંગ બ્રાંચને એનબીએ દ્વારા એક્રીડીએશન પ્રાપ્ત થતા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિને જિલ્લામાં વેક્સિનેશનના મહાઅભિયાનનો ખાસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વાર્ષિક રમોત્સવ યોજાયો. ક્રીકેટર મુનાફ પટેલની વિશેષ ઉપસ્થિતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!