Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અને પ્રતિબંધોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજરોજ મહત્વની બેઠક, જાણો વધુ..!

Share

કોરોનાને કાબુમાં લાવવા માટે છેલ્લા 2 મહિનાથી રાજ્યભરમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે જેને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજવાની છે.

રિપોર્ટના જણાવ્યા અનુસાર, બેઠકમાં રાજ્યભરની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. તેમજ રાજ્યમાં લાગેલા પ્રતિબાંધો અને કર્ફ્યુ મામલે નિર્ણય લેવામાં આવશે. બેઠક બાદ રાજ્ય સરકાર કર્ફ્યુ મુદ્દે નવો નિર્ણય જાહેર કરશે. અગાઉ વાવાઝોડાને કારણે 3 દિવસ 18,19 અને 20 મે સુધી કર્ફ્યુ લાંબાવામાં આવ્યુ હતું. હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે. નિયંત્રણ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. અનાજ, કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્ય પદાર્થો જેવી સેવાઓ ચાલુ હતી હવે જોવું રહ્યું કે સરકાર શું નિર્ણય લેશે.?

Advertisement

કોરોનાના દૈનિક કેસને લઈને ગુજરાતના લોકોતે રાહતના સમાચાર છે કારણ કે રાજ્યમાં દૈનિક કેસ 5000 એ પહોંચ્યા છે. બીજી તરફ મૃતદેહના આકમાં પણ ઘટાડો થયો છે.


Share

Related posts

ભરૂચનાં ઝનોર માર્ગ પર થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં ત્રણ લૂંટારુઓ ઝડપાયા, 1 કરોડની લૂંટને ફિલ્મી અંદાજમાં અપાયો હતો અંજામ

ProudOfGujarat

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા ? રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!