Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના ખારિયા ખાતે આવેલ કરજણ માઇનોર કેનાલમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું : ખેડૂતોમાં ચિંતાનો માહોલ.

Share

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકામાં આવેલ ખારીયા ગામ પાસે કરજણ જળાશયની માઇનોર કેનાલ આવેલ છે જેમાં છેલ્લા કેટલા દિવસોથી કોઈ સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી જેને કારણે નેહરમાં ભંગાણ પડતા પાણી સાઈડમાંથી વહેવા લાગ્યું હતું. આસપાસ આવેલા ખેતરો માઇનોર કેનાલ પર નિર્ભર હતા પરંતુ પાણી ખેતરો સુઘી પૂરતું પાણી પહોંચતું ન હતું જેને પગલે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે આ નેહરનું કેટલા સમયથી કરજણ જળાશય દ્વારા કોઈપણ સમારકામ ના થયું હોઈ યોગ્ય બાંધકામ ના થવાથી તેમાં ભંગાણ પડતા પાણી રોડની સાઈડ પરથી વહી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકા ખાતે એક માત્ર ખેડૂતો માટે સંજીવની ગણાતી કરજણ જળાશય યોજના હોવાથી આની યોગ્ય તંત્ર કાળજી રાખે તે અતિ મહત્વનું છે જેથી તંત્રને ખેડૂતો દ્વારા વહેલી તકે માઇનોર કેનાલનું સમારકામ કરવા અંગે વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જોન્સન એન્ડ જોન્સનને બેબી પાવડર વેચવાની પરવાનગી મળી, કોર્ટે પ્રતિબંધ ઉઠાવ્યો

ProudOfGujarat

ભરૂચ : ડેક્કન ફાઈન કેમીક્લ્સ પ્રા. લી. દ્વારા ટુલ કિટસનું વિતરણ તેમજ જન શિક્ષણ સંસ્થાન તરફથી બ્યુટી કેર આસીસ્ટન્ટ તાલીમની બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરાયા

ProudOfGujarat

વડોદરાના સાવલી તાલુકામાં ગાજાંનાં જથ્થા સાથે એકની ઘરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!