Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના ખારિયા ખાતે આવેલ કરજણ માઇનોર કેનાલમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું : ખેડૂતોમાં ચિંતાનો માહોલ.

Share

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકામાં આવેલ ખારીયા ગામ પાસે કરજણ જળાશયની માઇનોર કેનાલ આવેલ છે જેમાં છેલ્લા કેટલા દિવસોથી કોઈ સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી જેને કારણે નેહરમાં ભંગાણ પડતા પાણી સાઈડમાંથી વહેવા લાગ્યું હતું. આસપાસ આવેલા ખેતરો માઇનોર કેનાલ પર નિર્ભર હતા પરંતુ પાણી ખેતરો સુઘી પૂરતું પાણી પહોંચતું ન હતું જેને પગલે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે આ નેહરનું કેટલા સમયથી કરજણ જળાશય દ્વારા કોઈપણ સમારકામ ના થયું હોઈ યોગ્ય બાંધકામ ના થવાથી તેમાં ભંગાણ પડતા પાણી રોડની સાઈડ પરથી વહી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકા ખાતે એક માત્ર ખેડૂતો માટે સંજીવની ગણાતી કરજણ જળાશય યોજના હોવાથી આની યોગ્ય તંત્ર કાળજી રાખે તે અતિ મહત્વનું છે જેથી તંત્રને ખેડૂતો દ્વારા વહેલી તકે માઇનોર કેનાલનું સમારકામ કરવા અંગે વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

આરતી ઇન્ડસ્ટ્રીઝ, ઝધડિયા દ્વારા વેસ્ટ નિકાલ અને પ્રદુષિત પાણીનું જાહેરમાં નિકાલ કરાતા થયેલ ફરિયાદ

ProudOfGujarat

રથયાત્રામાં વરસાદનો સંકટ : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ.

ProudOfGujarat

દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!