Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેર જિલ્લાના તમામ જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરાઈ.

Share

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણમાં સતત વધારો થતાં સરકારની વખતો વખતની માર્ગદર્શિકા મુજબ તકેદારીના ભાગરૂપે શહેર-જિલ્લાની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ આધિકારિક હુકમ ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવી હતી. પરંતુ હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ક્રમશ: નિયંત્રિત થઈ રહી હોવાથી શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને વાવાઝોડાની રાહત કામગીરીને ધ્યાને લેતાં નાગરિકોને જનસેવા કેન્દ્રો, ઈ-ધરા કેન્દ્ર તથા પુરવઠા કેન્દ્રો પર સેવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને ધ્યાને લઈને શહેર-જિલ્લાના તમામ જન સેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. અરજદારો તથા મુલાકાતીઓએ આ કેન્દ્રો ખાતે ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને કોવિડની સત્તાવાર ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે એમ નિવાસી અધિક કલેકટરશ્રી એસ. ડી. વસાવાની યાદીમાં જણાવાયું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા નદી સહીત રાજ્યની નદીઓમાં જતું સુએજનું પાણી બંધ કરાવવા ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ત્રણ ખેલાડીઓ સોફ્ટ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat

કરજણ મામલતદાર કચેરીમાંથી ખોટું સોગંદનામું કરી સામાજિક તેમજ શૈક્ષણિક પછાત તરીકેનું પ્રમાણપત્ર મેળવનાર કરજણનાં એક ઈસમ સામે નાયબ મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!