Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બુધવારે કોરોનાના 28 કેસ : 137 ને રજા અપાઈ : જાણો મોતનો આંક.

Share

ભરૂચ જિલ્લામાં હવે પ્રતિદિન કોરોના મહામારીના નવા કેસોમાં ઘટાડો થતો જોવા મળતા વહીવટી તંત્ર સહીત આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચ જિલ્લામાં કોવીડ સ્મશાનમાં પણ પહેલા બેકી સંખ્યામાં નોંધાતા મૃતકોના આંક હવે મ્રુત્યુઆંક એકી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં બુધવારના રોજ નવા 28 પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લાનો કુલ આંક 10422 ઉપર પહોંચ્યો છે.ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં 10 અને શહેરી વિસ્તારમાં 02 મળીને સૌથી વધુ 12 નવા કેસો નોંધાયા હતા.

જયારે અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 137 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી જતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી જિલ્લામાં કુલ 9877 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. નવા નોંધાયેલા કેસોમાં ભરૂચ શહેર અને તાલુકામાં સૌથી વધુ 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં હજીય 434 એક્ટિવ કેસો સારવાર હેઠળ દાખલ છે. જયારે જિલ્લામાં વધુ એક વ્યકતિનો કોરોના ડેથ રિપોર્ટ આવતા જિલ્લામાં સત્તાવાર મોતનો આંક 111 થયો છે. જિલ્લામાં ગ્રામ્યમાં 671 અને શહેરમાં 350 મળીને કુલ 1021 કન્ટેન્ટમેન્ટ ઝોન એક્ટિવ છે.

Advertisement

Share

Related posts

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

ProudOfGujarat

ખેડા : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલધામમાં ઐતિહાસિક બ્રહ્મચોર્યાસી યોજાઈ

ProudOfGujarat

નર્મદા નદીને બિંદાસ બે ભાગમાં વહેંચી ભુમાફિયાઓ દ્વારા કરવામાં આવતું રેતી ખનન, ભરૂચ તાલુકાનાં નાંદ ગામનાં લોકોની અનેકવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!