Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં ચોમાસાની પધારમણી : ત્રાહિમામ પોકારેલા લોકોમાં ઠંડક થતાં હાશકારો.

Share

નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે સાથે આજરોજ સવારના 10 વાગ્યાથી ભરૂચ પંથકમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદના ઝાપતા જોવા મળ્યા હતા.

ભરૂચ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારથી જ સમગ્ર ભરૂચમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદના ઝાપતા જોવા મળ્યા હતા. ભરૂચવાસીઓમાં હાશકારો જોવા મળ્યો હતો છેલ્લા ચાર મહિનાથી કોરોના સહિત કાળઝાળ ગરમી વચ્ચે લોકડાઉનમાં કંટાળેલા લોકો માટે આજથી જ સંપૂર્ણ લોકડાઉન ખુલવામાં આવ્યું હતું અને લોકો કામે ફરી બહાર નીકળ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી અકળાયેલા ભરૂચવાસીઓ આજે વાતાવરણના પલટાને કારણે ખુશ દેખાઈ રહ્યા હતા સહિત ખેડૂતો માટે પણ ચોમાસુલક્ષી પાકોમાં વરસાદી આગમનને કારણે ખુશીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવતી. 30 જૂન સુધી રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ જશે. હવામાન વિભાગે આજે 13 અને 14 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રા. શા. ભડકોદરા ખાતે પીરામણ કલસ્ટરનો કલા ઉત્સવ તથા બાળવાર્તા સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : ગૌરીવ્રત કરતી કન્યાઓને વિવિધ સંસ્થાઓ દ્વારા ફળાહાર અને સુકોમેવો આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!