Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

તંત્રની બેદરકારી :ભરૂચ: નગરપાલિકા દ્વારા ત્રણ કરોડ 28 લાખનો આર સી સી રોડ મંજુર હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં :કોઈ કામગીરી ઘરાઈ નથી .

Share

ભરૂચ જિલ્લામાં રસ્તા અને ડ્રેનેજ લાઈનોને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે ક્યાંતો ગટરો ઉભરાઈ છે ક્યાંતો ગટરો જામ થય જાય છે અને ક્યાંતો ગટરોમાં ગંદકીનું સામ્રાજ્ય એકઠું થતું હોય છે તયારે ભરૂચ જિલ્લાની જાહેર જનતા રસ્તાના સમરકામ અને ડ્રેનેજ ના પ્રશ્નોથી કંટાળી ચુકી છે નગરપાલિકામાં અવારનવાર રજુઆતો કરવામાં છતાં તંત્ર દ્વારા કોઈ કામગિરી હાથ ધરવામાં આવતી નથી.
ફાતા તળાવ થી ચાર રસ્તા સુધી રોડનું ઘણા વર્ષો પહેલાથી તર્ક કરોડ 28 લાખના આર સી સી રોડ બનાવા અંગે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ આ પાંચમું ચોમાસુ છે કે ત્યાંથી પસાર થતા અને એ વિસ્તારમાં જ કામ કરતા લોકોને રસ્તો ન બનાવાને કારણે હાલાકી ઉભી થાય છે જેથી રસ્તાની કકામગીરી ના થતા સ્થાનિકો લોકો રોસ ભરાયા છે.થોડા દિવસ અગાવ જ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકાને 10 દિવસનું અલ્ટીમેમ આપ્યું હતું તે છતાં ચોમાસુ શરૂ થઇ ગયું છે પરંતુ કોઈ કામગીરીમાં કરવામાં આવી ન હતું.જો હવે રોડની કામગીરી નહિ થાય તો બજાર બન્ધ કરી તે દિવસથી ભરબજારને ચક્કા જામ કરવાની સ્થાનિકોએ નગરપાલિકાને ચીમકી આપી હતી જેથી વહેલી તકે સમયસર કામ પૂર્ણ થાય.

રિધ્ધી પંચાલ, ભરૂચ.

Advertisement

Share

Related posts

સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડમાં એકનું મોત

ProudOfGujarat

નડિયાદ ડિવીઝન દ્વારા તહેવારોને લીધે વધારાની બસો દોડાવાશે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના પાલોદ ગામે રૂ.૧૨૬ કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!