Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસીને જોડતા મોર તળાવ તલોદરાના રસ્તા પર સાંકડા નાળાથી સ્થાનિકોને ભારે હાલાકી.

Share

ઝઘડિયા તાલુકા જીઆઇડીસીને જોડતા મોર તળાવથી તલોદરા ગામો વચ્ચેના માર્ગ પર એક સાંકળુ નાળુ આવેલ છે. આ નાળુ ખુબ નીચુ હોવાથી ચોમાસામાં નાળા ઉપરથી પાણી જાય છે. નાળુ મોટું બનાવવા આ પંથકના ગામોની જનતામાં માંગ ઉઠવા પામી છે. મોર તલાળથી તલોદરા ગામને જોડતા માર્ગ પર આવેલી ખાડી પરનું નાળુ નીચુ હોવાથી ચોમાસામાં જીઆઇડીસીમાં કામે જતા કામદારો ઉપરાંત સ્થાનિક જનતાને મોટી હાલાકિ ભોગવવી પડે છે. મોર તળાવ ગામના સરપંચે આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં કોઇ પરિણામ આવ્યુ નથી. હાલ ચોમાસું શરુ થયુ છે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદે પણ નાળા પરથી પાણી વહેતુ હોય છે. ત્યારે ઝઘડીયા વાલિયા તાલુકામાંથી જીઆઇડીસીમાં કામે જતા કામદારો તેમજ સ્થાનિક જનતાના હિતમાં તાકીદે નાળુ મોટુ બનાવવા ઘટતુ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોરીના ભાવમાં 15 ટકાનો વધારો, પતંગના ભાવમાં બંડલે રૂ. 500નો ઘટાડો.

ProudOfGujarat

અંકલેશ્વર-માંડવા ગામ ખાતે એક યુવાનનું ઝેરી સાંપ કરડતા મોત…

ProudOfGujarat

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!