Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજ વેલ્સપન કંપનીમાં કામદારો વિરોધ પ્રદર્શન નો મામલો : બે કામદારોનો વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતી વેળા સર્જાયો ગંભીર અકસ્માત એકનું મોત : બે ગંભીર ઈજાગ્રસ્ત.

Share

કોરોના મહામારી દરમ્યાન વેલ્સપન કંપનીના મેનેજમેન્ટે 416 કામદારોને વર્ક ફ્રોમ હોમના આદેશ કરતા વિવાદ છેડાયો હતો. ત્યારબાદ થોડા દિવસમાં જ કામદારોને આરપીએડીથી અંજાર અને ભોપાલ બદલી કરવાના હુકમ કરતા કામદારોમાં રોજગારી ગુમાવવાનો ભય ઉભો થયો હતો. કામદારોએ ન્યાય મેળવવા ધારાસભ્ય સહિત કલેકટર અને એસપીને રજૂઆતો કરી હતી.

ગુરુવારે આખરે કામદારોએ કંપનીના ગેટ પાસે જ ધરણા પર બેસી જઈ કંપની મેનેજમેન્ટ સામે આંદોલનનું રણસિંગુ ફૂંકયું છે. ધરણા પર બેસેલા કર્મીઓએ કંપની કંપની બંધ કરવાના બદઈરાદાથી બદલીના ઓર્ડર આપ્યાના આક્ષેપ કર્યા હતા. જ્યાં સુધી કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો હતો.દહેજ વેલ્સપન કંપનીમાં કામદારો વિરોધ પ્રદર્શન નો મામલો વધુ ગરમાયો હતો જેમાં આજરોજ વહેલી સ્વરવા બે કામદારો (1) કલ્પેશ ગોહિલ અને (2) અરવિંદ સોલંકીનો વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા એક ટુ વ્હીલર બાઈક પર જઈ રહ્યા હતા કોલાદરા નજીક ત્યારે અચાનક સામેથી એક બાઈક પર એક બાઈક સવાર અરવિંદ પરમાર નાઓ સામે અથડાયા હતા અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે ગંભીર ઇજા પોહોંચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ હીલિંગ ટચમાં ખસેડાયા હતા. માથાના ભાગમાં ગંભીર ઇજાના પગલે કલ્પેશ ગોહિલનું સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અન્ય બે ની સારવાર હાલ ચાલુ છે.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંકલેશ્વરના ભાદી ગામે કરવામાં આવેલ જુગાર રેડ ના મામલા માં સ્થાનિક પોલીસ અધિકારી સહિત 9 કર્મચારીઓ ને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા. !!!

ProudOfGujarat

પર્યાવરણના દુશ્મન કોણ : અંકલેશ્વરની આમલા ખાડીમાં પ્રદુષિત જળની નદી વહેતી હોવાનો સિલસિલો યથાવત.

ProudOfGujarat

ભરૂચ : અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!