Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાના ચેરમેન તરીકે દિલીપસિંહ રાઠોડની બિન હરીફ વરણી.

Share

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાની ચૂંટણી અગાઉ ૨૦૧૮ માં થયેલ હતી તેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ૧૯૬૫ ના કાનૂન ૩૩(૧) તથા ૩૩(૨) હેઠળ મળેલ સત્તાની રૂએ ચેરમેનની ચૂંટણી કરવા માટે ચૂંટાયેલ ડિરેક્ટરોની બેઠક પી. બી. કણકોટીયા, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરુચના અધ્યક્ષ સ્થાને આજરોજ મળી હતી.

એ.પી.એમ.સી. કોસંબાના ચેરમેન પદ માટે દિલીપસિંહ વજેસિંહ રાઠોડના નામની દરખાસ્ત રાજેશકુમાર કે. પાઠક દ્વારા કરવામાં આવી હતી આ દરખાસ્તને સુરેન્દ્રસિંહ ધિરજસિંહ ખેર દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. અન્ય ચેરમેનપદ માટે બીજી કોઈ દરખાસ્ત ન આવતા એ.પી.એમ.સી. કોસંબાનાં ચેરમેન તરીકે દિલીપસિંહ વજેસિંહ રાઠોડને બિન હરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. એ.પી.એમ.સી. નાં ડિરેક્ટરો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામા આવી હતી. વધુમાં નવા આવેલ કૃષિ કાયદા મુજબ બે ટર્મથી વધારે ચેરમેન તરીકે રહી શકાય એમ ન હોય જેથી વર્તમાન ચેરમેન રાજેશકુમાર કે. પાઠક દ્વારા ઉમેદવારી કરવામાં આવી ન હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર:જુગારના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

પૂર્વ સાંસદ અને ગુજરાત ના પૂર્વ વન મંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની આજે 22 મી પુણ્યતિથિ નિમિતે પરિવાર જનો એ બ્લડ ડોનેટ કર્યું

ProudOfGujarat

જિલ્લા આયોજન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!