Proud of Gujarat
FeaturedGujaratINDIA

સફાઇ અભિયાન : સુરેન્દ્રનગર : લખતરની લખતરીયા શેરીની મહિલાઓ લખતર તળાવના નહાવા ધોવાના ઘાટ સાફ કરવા તળાવ પહોંચી.

Share

લખતરીયા શેરીની મહિલાઓ સાથે લખતર સરપંચ અને લખતર બુટભવાની મંડળના સદસ્યો પણ જોડાયા લખતરના લખતરીયા શેરી વિસ્તારમાં રહેતી અને લખતરના દરેક સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેતી મહિલાઓ આજે લખતરના મોતીસર તળાવના નહાવા ધોવાના ઘાટમાં ગંદકી હોય અને મહિલાઓને નહાવા કપડા ધોવામાં તકલીફ પડતી હોય 10 થી 12 મહિલાઓ લખતર સંપ પાછળ આવેલ ઢાળીયા આરા તરીકે ઓળખાતા નહાવા ધોવાના આરામાં સફાઈનો સમાન લઈને પહોંચી ગઈ હતી.

ત્યાં તેમની સાથે લખતર સરપંચ અને લખતર બુટભવાની મંડળના પુરૂષો પણ સફાઈ કાર્યમાં સાથ આપી નહાવા ધોવાના આરા સાફ કર્યા હતા ત્યારે લખતર સરપંચ પ્રહલાદભાઈ ચાવડા દ્વારા મહિલાઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસો મળી આવતા વિસ્તારોમાં અવર-જવર પર નિયંત્રણો મૂકી મેડિકલ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી.

ProudOfGujarat

અપહરણ, ધાડ, રાયોટીંગ સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!