Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આંબાવાડી આંગણવાડી કેન્દ્ર ખાતે ગણવેશ વિતરણ તેમજ મમતા દિવસની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતનાં કારોબારી સભ્ય તૃપ્તિબેન શૈલેષભાઇ મૈસુરીયાના હસ્તે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોને આંગણવાડી માટે એક ઉત્સાહ મળી રહે અને ખાનગી શાળામાં જે પ્રમાણે ગણવેશથી બાળકોને ઓળખ મળે છે તેવી ઓળખ આંગણવાડીના બાળકોને પણ મળી રહે તે હેતુથી ગણવેશ વિતરણ કરાયું હતું. પ્રાર્થનાં બાદ સમગ્ર કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ઉપરાંત મમતા દિવસ નિમિત્તે બાળકોને બિસ્કીટનાં પેકેટ વિતરણ કરાયા હતાં.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ મૈસુરીયા, નરેશ ચૌધરી, રીયાઝ, સઈદ,ફૈઝલ,સિડીપીઓ, આરોગ્યકર્મી અને આંગણવાડીના તેડાગર બહેનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વાલિયા રોડ પર CNG ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પોમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો આગ પર કાબુ..!!!

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નશીલી કફ સિરપની બોટલો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈને કરે છે સલામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!