Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ આંગણવાડી કેન્દ્ર ખાતે ગણવેશ વિતરણ તેમજ મમતા દિવસની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતીના હસ્તકે ૪૦ જેટલા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોને આંગણવાડી માટે એક ઉત્સાહ મળી રહે અને ખાનગી શાળામાં જે પ્રમાણે ગણવેશથી બાળકોને ઓળખ મળે છે તેવી ઓળખ આંગણવાડીના બાળકોને પણ મળી રહે તે હેતુથી ગણવેશ વિતરણ કરાયું હતું. પ્રાર્થનાં બાદ સમગ્ર કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ઝંખવાવ ગામની અલગ અલગ આંગણવાડીઓનાં કુલ ૪૦ જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતાં. ઉપરાંત મમતા દિવસ નિમિત્તે બાળકોને બિસ્કીટનાં પેકેટ વિતરણ કરાયા હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ ગામીત, ભાજપનાં અગ્રણી શાંતિલાભાઈ વસાવા, સમીરભાઈ કડીવાલા, જીગ્નેશભાઈ નાઈ, સિડીપીઓ શાંતાબેન ચૌધરી અને આંગણવાડીના તેડાગર બહેનો હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરીયા વાંકલ


Share

Related posts

રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ એવોર્ડ વિજેતા સાગબારાની મહિલા ખેડૂત ઉષાબેન વસાવાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ સન્માન કર્યું.

ProudOfGujarat

ભારત બંધનાં એલાનમાં ભરૂચની વડદલા APMC ચાલુ જયારે મહંમદપુરા APMC સદંતર બંધ જોવા મળી.

ProudOfGujarat

આવતા મહિનાથી તમારું 5-સ્ટાર AC 4-સ્ટાર થશે, જાણો શા માટે રેટિંગ પર થશે અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!