Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોંધવારીની લાચારી : સુરતમાં પતિના મૃત્યુ બાદ લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક મૃતદેહ પાસે બેસીને મદદની પુકાર લગાવતી રહી પત્ની.

Share

સુરત શહેરમાં ઉનપાટિયા વિસ્તારની એક મહિલા પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની પુકારના ફોન ડાયલ કરતી રહી હતી. પત્ની પતિના મૃતદેહને આજે સવારે સિવિલ લઈ આવતા તબીબો પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા હતા.

જોકે, મૃત્યુનું કોઈ કારણ ન હોવાથી તબીબોએ પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળમાં અનેક પરિવારોએ સંબંધીઓને ગુમાવ્યા છે. આ સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. મૃતક રણજિત અટાસિંગ ઠાકોરની પત્ની મનીષા ઠાકોર મૃતક રણજિત અટાસિંગ ઠાકોરની પત્નીએ જણાવ્યું હતું કે તેઓ ઉન પાટિયાના મહેબૂબ નગરમાં રહે છે. 13 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનની માતા છે.

Advertisement

મૂળ ઝાંસીના રહેવાસી છે. રણજીત સંચા ખાતામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો આદી હતો. ગઈકાલે (મંગળવારે) દારૂ પીધા બાદ બપોરના ભોજન લઈ સૂઈ ગયો હતો. એક કલાક બાદ એના મિત્રએ રણજિતને જગાડવાની કોશિશ કર્યા બાદ પણ એ જાગ્યો ન હતો. જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવતા મૃત્યુ પામ્યો હોવાની ખબર પડી હતી. આ બાબતે તાત્કાલિક વતન સગા સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી. જોકે બધાએ મૃતદેહ વતન ઝાંસી લઈ આવવા સલાહ આપી હતી. જેને લઈ મોડી સાંજ થઈ જતા આખો દિવસ પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી.

સવાર પડતા જ પડોશીઓએ 108 ને જાણ કરતા રણજિતને 108 ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવું પડશે એમ કહી પોલીસને જાણ કરી છે. સાહેબ ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ અને હું આર્થિક રીતે લાચાર છું, મોંઘવારીમાં પતિની હયાતીમાં ઘર અને બાળકોનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું, હવે એની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાથી લાવું.


Share

Related posts

આમોદ નાહીયેર રોડ ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન કરાયું.

ProudOfGujarat

વડોદરાનાં 511 માં જન્મદિવસ નિમિત્તે હેરિટેજ વોકનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!