Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં રતનપોર ભીલવાડા ગામેથી વધુ એક દીપડો ઝડપાયો : વનવિભાગ દોડતું થયું.

Share

ઝઘડીયા તાલુકામાં દિપડાના આંટાફેરાને લઇને સ્થાનિકોમાં ડરનો માહોલ હતો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી હતી, ત્યારે જંગલખાતા દ્વારા મુકાયેલા પાંજરામાં કદાવર દીપડો પાંજરે પુરાયો જેને લઈને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

છેલ્લા પાંચ દિવસથી ભરૂચના અંતરિયાળ ગામોમાં દીપડાઓ ફરતા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હતા અને ગતરોજ વાલિયા તાલુકાના વાંદરવેલી ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો.

Advertisement

દીપડાની જાણ ગ્રામજનો દ્વારા વનવિભાગમાં કરાઈ હતી જે બાદ ઝઘડીયા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો. જાણવા મળેલ કે રતનપોર ભીલવાડા ગામેથી રોજબરોજ પશુઓને શિકાર કરતો હતો. વહેલી સવારે પાંજરે પુરાયેલા દીપડાને જોવા અને સેલ્ફીઓ લેવા આજુબાજુના ગ્રામજનો ઉમટી પડયા હતા. આખરે કદાવર દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો, વનવિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે વન્ય વિસ્તારમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઇ છે.

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

રાજપીપલા બાલાપીર દરગાહનાં કંમ્પાઉન્ડનાં રહેણાંકના મકાનમાંથી ગાંજો પકડાયો.

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ’ પર 1947 થી 2021 સુધીની ભારતમાં બનેલી સૌથી મોટી ઘટનાઓ વિશે જાણો.

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પરચાલકની બેદરકારીના કારણે ડીજીવીસીએલના આઠ વીજપોલ તૂટી પડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!