Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડાના કુડલા ગામે પશુ ચારવા બાબતે જુથ અથડામણ , 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ.

Share

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કુડલા ગામે પશુ ચારવા બાબતે એક જ જ્ઞાતિના બે પક્ષો વચ્ચે જુથ અથડામણ સર્જાઈ હતી. બન્ને પક્ષોના 30 થી વધુ લોકો તીક્ષ્ણ હથિયારો જેવા કે લાકડી, પાઈપ, ધારિયા લઈ સામ-સામા આવી ગયા હતા. એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં બન્ને પક્ષોના 10 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ચુડા તાલુકાના કુડલા ગામે પશુ ચારવા બાબતે ભયંકર મારામારી થઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી હતી. એક જ જ્ઞાતિના બે પક્ષોના લોકો વચ્ચે વૃદ્ધાના બારમાંની વિધિમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

બન્ને પક્ષોના 30 થી વધુ લોકો લાકડી, પાઈપ, ધારીયા સહિતના પ્રાણ ઘાતક હથિયારો લઈ સામ-સામા આવી ગયા હતા. એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. હુમલામાં બન્ને પક્ષોના 10 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

Advertisement

જેમાં એક પક્ષના ભુરાભાઈ શિયાળિયા, દાનાભાઈ શિયાળિયા, રામાભાઇ શિયાળિયા, ગીગાભાઈ શિયાળિયા, મયુરભાઈ શિયાળિયા, વાલાભાઈ શિયાળિયા ઘાયલોને સારવાર માટે ચુડા હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષના ઘાયલોને સારવાર અર્થે સામૂહિક આરોગી કેન્દ્ર ચૂડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચુડા પોલીસ હોસ્પિટલ પહોંચી બન્ને પક્ષોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર , સુરેન્દ્રનગર


Share

Related posts

SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય શાખા અમદાવાદ ખાતે ભરતભાઈ ચૌધરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા.

ProudOfGujarat

તાપી જીલ્લાનાં નવાપુરના લોકોએ વીજકર્મચારીઓને બહાર કાઢી કાર્યાલયને તાળાબંધી કરી…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!