Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ સેવાસદન ને. હા. નં.48 વાડી ચોકડી પર રાત્રીના સમયે ત્રણ ગાયોને અજાણ્યા વાહને ટક્કર મારતા ગાયોના મોત નિપજયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ જન સેવાસદન કેન્દ્ર સામે ને. હા. નં. 48 પર વાડી ચોકડી પર કોઈ અજાણ્યા વાહને ગાયોને ટક્કર મારતા ત્રણ ગાયોનું મોત નીપજ્યું હતું. ગાયોના મોતના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ ગાયો કોની હતી અને તેનો માલિક કોણ છે તે જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતા ગૌરક્ષા ટીમ ઘટના સ્થળે આવીને કરજણ પોલીસની મદદ લઈને હિન્દુ શાસ્ત્રની વિધિ અનુસાર જે.સી.બી મશીન દ્વારા ખાડો ખોદીને દફનવિધિ પૂર્ણ કરી હતી. માર્ગ પર ટહેલતા ગૌવંશનાં માલિકો દ્વારા કાળજી લેવાય એવી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ધોરણ-12 CBSE નું પરિણામ આજે જાહેર કરાશે: આ રીતે જાણી શકશો

ProudOfGujarat

સરહદ પર જેમ જવાન ફરજ બજાવે તેવી જ ફરજ આકરા તાપમાં ટ્રાફિક પોલીસની…કોઈ બેલી નહીં.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર હોટેલ હાઇવેમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 1,51,440 ના એશિયન પેન્ટના કલરના ડબ્બા તેમજ ડ્રમની ચોરી થતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!