Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી ગામે અન્નોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગરીબોને અન્ન વિતરણ કરવામાં આવ્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત હોલ ખાતે આજે ભાજપા દ્વારા અન્નોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો તેમજ લાભાર્થીઓએ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનના સંબોધનના પ્રસંગોચિત લાઇવ પ્રસારણનો લાભ લીધો હતો.આયોજિત કાર્યક્રમમાં તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ,રાજપારડીના કાર્યકારી સરપંચ પિયુષ પટેલ,મોટાસોરવાના સરપંચ નિલેશભાઇ વસાવા તેમજ રાકેશભાઇ,સુભાષભાઇ વસાવા,કેતન ગાંધી,કિરણ વસાવા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અન્નોત્સવના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ગરીબ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભારેકરી – ભરૂચના બે યુવાનો બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના મન્નતની દીવાલ કૂદી અંદર પ્રવેશી ગયા, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

નડિયાદમાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૪ મો પ્રકાશ ઉત્સવ ઉજવાયો

ProudOfGujarat

માંગરોળ ના વન પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરે ભરાતો દશેરા નો મેળો બંધ રહેશે,માત્ર દર્શનાર્થીઓ માટે વન પરિસર ખુલ્લું મુકાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!