Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન

Share

નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન

જિલ્લા કક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીશ્રીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રી

Advertisement

ભરૂચ – મંગળવાર – નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સંલગ્ન અધિકારીશ્રીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

બેઠકમાં કલેક્ટરશ્રીએ ૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું. તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી સંભવંત સિતારામ સેવા ટ્રસ્ટના કંપાઉન્ડ ખાતે વાલીયા ખાતે કરવામાં આવશે.

કલેક્ટરશ્રીની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

વડોદરામાં કારેલીબાગના ગીતાંજલિ એપાર્ટમેન્ટમાંથી ગાંજાનો જથ્થો વેચનાર બે ઇસમોને ઝડપી પાડયા

ProudOfGujarat

અંકલેશ્વરનો વિદ્યાર્થી ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ સ્થાને.અગસ્તિ એજ્યુકેશનના ધ્રુવ પટેલે 99.99 પી.આર મેળવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!