Proud of Gujarat
INDIAFeaturedGujarat

આખરે તંત્ર જાગ્યુ : ભરૂચ – અંકલેશ્વર ને. હા. 48 ના ખાડાઓ પૂરવાની કામગીરી હાથધરી.

Share

ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશલન હાઇવે નંબર 48 ઘણા સમયથી ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ તો ઉઘરાવામાં આવે છે પણ રસ્તાઓ ઉપર પડેલા મસમોટા ખાડાઓ પુરવામાં ન આવતા હોવાની લોકચર્ચાઓ ઉભી થઇ હતી. ત્યારે આખરે હાઇવે ઓથોરિટીએ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાઈ રહેલા ટ્રાફિકને કારણે લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો.દરરોજ થઇ રહેલ ટ્રાફિકની સમસ્યાથી લોકો કંટાળ્યા હતા જેની સામે હવે રાહતના સમાચાર આવ્યા હતા. રસ્તાઓ પર વહન કરતા મસમોટા વાહનોને કારણે રસ્તાની સ્થિતિ દયનીય બની હતી. જેમાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેની સામે કલાકોનો ટ્રાફિક જામ રહેતો હતો. તો તંત્રને ઘણી રજુઆતો કર્યા બાદ ચોમાસાની સીઝન અડધી પુરી થઇ છે અને તંત્રએ આખરે કામગીરી હાથ ધરી છે. ઝાડેશ્વરથી મુલદ સુધીના માર્ગ પર રસ્તાઓનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી રાહદારીઓ રાહત અનુભવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારના અધ્યક્ષસ્થાને છ જિલ્લાઓની ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રૂઢં ગામે બે ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગમાં ચાણક્ય કોમ્પ્લેક્ષમાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા, તસ્કરો CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!