Proud of Gujarat
FeaturedGujaratINDIA

ત્રીજી લહેરને આમંત્રણ : અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડીસ્પેન્સરી ખાતે વેક્સિન માટે લોકોના ટોળા : સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો પણ અભાવ.

Share

એક તરફ જ્યાં સરકાર વેકશીનેશનને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે કે વેકશીનેશન જરૂરી ત્યારે બીજી તરફ વેકશીનેશન ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. વેકશીનેશન જ્યારથી શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી વેકશીનેશનનો અભાવ રહ્યો છે તેવી જ એક સમસ્યા અંકલેશ્વરના નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે વેકશીનેશન માટે લોકો પડાપડી કરી રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

એક તરફ વેકશીનેશન માટે જથ્થો અપૂરતો છે ત્યારે લોકો દ્વારા થઈ રહેલ કોરોના ગાઈડલાઇનનો ભંગ અતિ નિંદનીય છે. લાઈનો તો જણાઈ રહી નથી ત્યારે લોકો ભેગા થઈ અને ટોળેટોળાં થઈ રહ્યા છે જેઓએ માસ્ક પણ નથી પહેર્યું અને સોશીયલ ડિસ્ટન્સના પણ ઘજાગરા ઊડી રહ્યા છે. તો આના માટે શું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી જવાબદાર બનશે..? કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ આપાઈ રહ્યું છે અને સ્થાનિકો પણ કોરોનાને ભૂલી ગયા હોય તેમ વર્તાઇ રહ્યું છે જેથી સરકારે વેકશીનના ડોઝનો જથ્થો વધારવો જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાનાં પ્રતાપનગરમાં આવતીકાલથી એક સપ્તાહ સુધી હાફ લોકડાઉન કરાયું.

ProudOfGujarat

વડોદરા : એન.આર. સી બિલના વિરોધમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

કોરોના વાયરસની દહેશત વચ્ચે પશુપાલન નિયામકની ગાંધીનગર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મરઘી કે ઈંડાનું સેવન સલામત છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!