Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના નબીપુરમાં સુગત સ્ટ્રીટમાં DGVCL ની લાઈનનાં કેબલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

નબીપુર ગામમાં આવેલી સુગત સ્ટ્રીટમાંથી પસાર થતી DGVCL ની લો ટેનશન લાઈનના વીજ થાંભલા પરથી ઘર વપરાશના વિજ પુરવઠા માટે પસાર થતા કેબલમાં ગત મોડી સાંજે કોઇ અગમ્ય કારણોસર ધડાકાભેર આગ લાગતા સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી.

સદનસીબે આમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બનાવની જાણ તુરંત DGVCL ના લોકલ કર્મચારીને કરાતા તેમણે જે તે વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી દેતા વધુ નુકશાન થતું અટકી જવા પામ્યું હતું. લાઇનમા આવતા રહેણાક લોકોના મકાનો અને દુકાનોમાં લાગેલા વીજ ઉપકરણોમાં કેટલું નુકશાન થયું છે તે તો વીજ પુરવઠો ફરી ચાલુ થાય ત્યારે જ ખબર પડશે. સ્થાનિક વીજ કર્મચારીઓની સાથે ગ્રામજનો પણ તેમના કામમાં મદદરૂપ બન્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વિરમગામનાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રીની આરોગ્ય કેન્દ્રમાં ફાળવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાલીયા તાલુકાનાં ભા.જ.પા. પ્રમુખ અને તેમના સાથી મિત્રોએ ગામનાં સરપંચની પત્ની અને પુત્રી પર બાળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે.

ProudOfGujarat

ભરૂચ તાલુકામાં અાવેલાં કુકરવાડા ગામ પાસે અેલઅેન્ડટી કંપની દ્વારા રેલવે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. દરમિયાન અાજે સવારે અેક શ્રમજીવી બ્રીજ પરથી નીચે પટકાતાં તેનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!