Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાયા વિહોણી જગ્યા સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠે નોંઘાવેલ ફરિયાદ રદ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું.

Share

કંથારીયા ગામમાં ઘણા વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે જેને કંથારિયા ગામનાં નવ યુવાન મિત્રો અને દેશ વિદેશમાં રહેતા સખી દાતાઓના લોકફાળાના સહકારે ગંદકીનું સામ્રાજય દૂર કરી અને સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી પરંતુ અયુબ આદમ શેઠનાઓએ ઘી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોબિહિશન) એકટ ૨૦૨૦ હેઠળ નોંઘાવેલ ફરિયાદ રદ કરવા ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

આજરોજ તા-૨૩/૦૮/૨૦૨૧ ને સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે ભરૂચ જિલ્લાના સમાહર્તા માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને કંથારિયા ગામે જંબુસર રોડની બાજુમાં કંથારિયા ગામના નવયુવાન મિત્રો અને દેશ-વિદેશમાં વસતા સખીદાતાઓના સહકારથી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી ભારત સરકારનું સ્વપ્ન કે જે સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કોઇપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કંથારિયા ગામે કોમ્યુનિટી ગાર્ડન, ડ્રીમ વેલ્લી કાઇડસ પાર્ક તેમજ સાર્વજનિક પીવાના પાણીની પરબનું નિર્માણ કરેલ જેના સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠનાઓએ ઘી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોબિહિશન) એકટ ૨૦૨૦ હેઠળ નોંઘાવેલ ફરિયાદ રદ કરવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામથી સ્મશાનને જોડતા ડામર રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

વડોદરામાં રીક્ષા પલટી ખાતા દારુની થઈ રેલમછેલ, 48 નંગ દારુની બોટલો જપ્ત કરાઈ

ProudOfGujarat

આચારસંહિતા લાગુ છે ત્યારે રાજપીપળાનાં કેટલાક વિસ્તારોમાં પક્ષના ઝંડા તોરણીયા : આચારસંહિતાને ઘોળી પી ગયા ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!