Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગડખોલ પાટિયા નજીક જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઇ.

Share

જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી તૈયારી કરી હતી જ્યારે છેલ્લા એક સપ્તાહથી તૈયારી ચાલતી હતી ત્યારે આજરોજ સાઈ યુવક મંડળ દ્વારા પહેલીવાર માટીની મુર્તિ બનાવમાં આવી હતી. જ્યારે સાઈ યુવક મંડળ દ્વારા અંકલેશ્વરની જનતાને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરી ભક્તોને દર્શનનો લાભ લેવા અપિલ કરી હતી.

અગાઉ બે વર્ષથી કોરોના મહામારીને કારણે દેશમાં દરેક તહેવારો કે જેમાં ભીડ એકઠી થતી હોય તેવા દરેક તહેવારો પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હતી પરંતુ આ વર્ષે કોરોના ગાઈડલાઇન અંતર્ગત અમુક છૂટ આપવામાં આવી છે. તહેવારો નિમિતે અમુક મર્યાદિત લોકો વચ્ચે તહેવારો માનવના નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા.

જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીના ભાગરૂપે ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી તે સહિત કૃષ્ણ ભગવાનની ઇકો ફ્રેન્ડલી માટીની આકર્ષીય મુર્તિ સ્થાપિત કરવામાં આવી હતી જેને અંકલેશ્વર અને ભરૂચની જનતાએ દર્શન કરવાનો લાહવો લીધો હતો. જેમાં કોરોના ગાઈડલાઇનનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું. સાઈ યુવક મંડળ દ્વારા અંકલેશ્વરની જનતાને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ભક્તોને લાભ લેવા અપિલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ સી બી પટેલ આર્ટ્સ કોલેજ હિન્દી વિભાગ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ અને અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ ના ધોળીકૂઈ વિસ્તાર માં આવેલ અંબામાતા ના મંદિર નજીક જી ઈ બી ના ડીપી માં ધડાકાભેર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…….

ProudOfGujarat

ઝગડીયાના ભાલોદ ગામે શ્રીપરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!