Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ નગરપાલિકાના માં શારદા ભવન ખાતે યોજાયો.

Share

જનસંવેદના મુલાકાત આજરોજ અંકલેશ્વર મુકામે પહોંચી હતી જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. તેમાં ઇશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, જેમ દિલ્હીના સી.એમ અરવિંદ કેજરીવાલે કોરોનામાં જે પણ મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારને 50 હજારની સહાય કરી છે.

જેમાં તેઓ બે દિવસથી ભરૂચ મુલાકાતે છે અને ભરૂચ પંથકમાં પણ તેઓ દ્વારા આવી સહાય કરવાની માંગ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે. જેથી તેઓની માંગ છે મૃતકના પરિવારને રોકડ રૂપિયાની સહાય કરવી જોઈએ. વધુમાં ઈશુદન ગઢવીએ જણાવ્યુ હતું કે ભાજપા સરકારના દાયરા હેઠળ મોંઘવારી આસમાને પહોંચી છે. પેટ્રોલ – ડીઝલ – રાંધણગેસના ભાવોમાં વધારો થઈ રહ્યો છે.

ગુજરાત જન સંવેદના લગન કાર્યક્રમ ચાલી રહ્યા અંકલેશ્વર નગરપાલિકાનાં માં શારદા ભવન હોલ ખાતે જન સંવેદના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઈશુદાન ગઢવી, સૂરતના કોર્પોરેટર રામભાઇ ધડુક, હરેશ જોગરાણા, હર્ષદભાઈ પટેલ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ લોકો જોડાયા હતાં.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સૂપ્રસિધ્ધ લોકગાયક કલાકાર કમલેશ બોડાણાને ઘરે લક્ષ્મીજીના પાવન પગલા જાણો વધુ

ProudOfGujarat

નર્મદા સેસન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : પત્નીની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ProudOfGujarat

પાવાગઢમાં વાહનોનીઆજ મધ્યરાત્રિથી ‘નો એન્ટ્રી’ : ભક્તો માટે દોડશે 24 કલાક બસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!