Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ નગરપાલિકાના માં શારદા ભવન ખાતે યોજાયો.

Share

જનસંવેદના મુલાકાત આજરોજ અંકલેશ્વર મુકામે પહોંચી હતી જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. તેમાં ઇશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, જેમ દિલ્હીના સી.એમ અરવિંદ કેજરીવાલે કોરોનામાં જે પણ મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારને 50 હજારની સહાય કરી છે.

જેમાં તેઓ બે દિવસથી ભરૂચ મુલાકાતે છે અને ભરૂચ પંથકમાં પણ તેઓ દ્વારા આવી સહાય કરવાની માંગ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે. જેથી તેઓની માંગ છે મૃતકના પરિવારને રોકડ રૂપિયાની સહાય કરવી જોઈએ. વધુમાં ઈશુદન ગઢવીએ જણાવ્યુ હતું કે ભાજપા સરકારના દાયરા હેઠળ મોંઘવારી આસમાને પહોંચી છે. પેટ્રોલ – ડીઝલ – રાંધણગેસના ભાવોમાં વધારો થઈ રહ્યો છે.

ગુજરાત જન સંવેદના લગન કાર્યક્રમ ચાલી રહ્યા અંકલેશ્વર નગરપાલિકાનાં માં શારદા ભવન હોલ ખાતે જન સંવેદના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઈશુદાન ગઢવી, સૂરતના કોર્પોરેટર રામભાઇ ધડુક, હરેશ જોગરાણા, હર્ષદભાઈ પટેલ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ લોકો જોડાયા હતાં.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ 36 વર્ષીય નરાધમે સંતાનનાં સાથે ફરતી બાળકીને નિશાન બનાવી.

ProudOfGujarat

ભરૂચ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઈ.

ProudOfGujarat

ભારતનાં વૈજ્ઞાનિકો દ્વારા રચવામાં આવ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!