Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગણેશચતુર્થી : દુંદાળા દેવને આવકારવા ભક્તોમાં અનોખો ઉત્સાહ –ઉમંગ

Share

જે ક્ષણનો ભક્તો છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઇને બેઠા હતા તે હવે આવી ગયો છે. આજથી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ થાય છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે ગણેશોત્સવ ઉજવવામાં આવશે. જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવ ગણપતિજીના પર્વ ‘ગણેશ ચતુર્થી’ની આવતીકાલે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.ગણેશ સ્થાપન માટે આવતીકાલે બપોરે ૧૨ઃ૧૨થી બપોરે ૧ઃ૦૧ દરમિયાન અભિજિત મુહૂર્ત છે.

૧૯ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી સાથે ગણેશોત્સવની પૂર્ણાહૂતિ થશે. સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે.આવતીકાલે ગણેશજીને લાડુ-મોદકનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. ગણેશ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડશે. ગત વર્ષે કોરોના વધારે કેસને પગલે જાહેરમાં ગણેશોત્સવનું આયોજન થઇ શક્યું નહોતું. જોકે, આ વખતે કોવિડ ગાઇડલાઇન્સ સાથે ગણેશોત્સવ યોજવા મંજૂરી અપાઇ છે.

Advertisement

ગણેશજીની સ્થાપના તથા વિસર્જન માત્ર ૧૫ લોકોની મર્યાદા સાથે એક જ વાહનમાં કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લી ઘડીએ ગણેશ મહોત્સવની મંજૂરી આપતાં આ વખતે બજારમાં ગણેશ મૂર્તિની ખરીદીની માગ વધી છે. ડીજેને પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે ડીજેના તાલે ભગવાન ગણેશને આવતીકાલે આવકારવામાં આવશે.


Share

Related posts

વડનગર અને મોઢેરા સૂર્ય મંદિરનો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેશ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડીથી વેપારીનું અપહરણ કરી ૧૫ લાખ ઉપરાંતની લૂંટને અંજામ અપાયો, હવામાં ફાયરીંગ કરી લૂંટારું બોલ્યો જોયું કેવો ધમાકો થાય છે..!!

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!