Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : બાવાગોર દરગાહનો ચસ્માનો મેળો કોરોના મહામારીને લઇને બંધ રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે. આ સ્થળે વર્ષમાં બે વાર ભવ્ય મેળાનુ આયોજન થતુ હોય છે. હાલમાં ભરાનાર દરગાહના ચસ્મ‍ાનો મેળો કોરોના મહ‍મારીને લઇને મોકુફ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આઠસો વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહના પહાડ પર હઝરતના સમયથી ચસ્મો (પાણીનો કુંડ) આવેલો છે. આ ચસ્મો દર વર્ષે ચોમાસામાં ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે પરંપરાગત વધાવવાની વિધિ કરવામા આવે છે અને ચસ્મો વધાવવાના દિવસે ભવ્ય મેળાનુ પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં કોરોના મહામારી અંતર્ગત સંક્રમણ ફેલાવાની દહેશતને લઇને તા.૩૦ મીના રોજ ભરાનાર ચસ્માનો ઉર્સ (મેળો) ભરાય નહિ. ચસ્માનો મેળો બંધ રાખવામાં આવ્યો હોવાનુ બાવાગોર દરગાહ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયુ છે અને જ‍‍ાહેર જનતા અને શ્રધ્ધાળુઓએ તેની નોંધ લેવા પણ જણાવાયુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર…

ProudOfGujarat

સુરત શહેર તેમજ ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલ રીઢો વાહન ચોર ઝડપાયો.LCB પોલીસે ચાર મોટરસાયકલ પકડી પાડી…

ProudOfGujarat

ભારે વરસાદને લીધે મૃત્યુ પામનાર ગાજરગોટાના મૃતકના વારસદારને સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે મુખ્યમંત્રીશ્રીની રાહતનીધિમાં રૂા. ૪ લાખનો ચેક એનાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!