Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કોરોનાના કેસ વધતાં નવરાત્રિ નહીં યોજવાનો પાલિકાનો આદેશ

Share

ગુજરાતમાં હજુ ધીરે ધીરા સ્થિતિ સામાન્ય થઈ રહી હતી. એ દરમ્યાન ફરી એકવાર સુરત શહેરમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. સુરતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ વધતા મહાનગર પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. શહેરમાં જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ અને પ્રથમ રેડ ઝોન જાહેર થયો એ રાંદેર બાદ અઠવા ઝોન વિસ્તારમાં કોરોના સતત વકરી રહ્યો છે. પોઝિટિવ દર્દીઓમાં ધાર્મિક તહેવારની યાત્રાની હિસ્ટ્રી જ આવી રહી છે. ત્યારે સતત વધતા કેસ જોતાં મહાપાલિકાએ રાંદેરના 30 અને અઠવા ઝોનના 41 ક્લસ્ટર એરિયામાં નવરાત્રિ નહીં યોજવા નોટીસ ફટકારી છે.

પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે. પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ આવશે તો ‘એપીડેમીક ડીસીઝ એકટ’ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત તંત્ર દ્વારા સુરતની ઢગલાં બંધ સોસાયટીઓને કોરોના કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકી દીધી છે. આ વિસ્તારમાં નિગરાની માટે પોલીસની ટીમ પણ મુકવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાના કેસ વધે નહીં તે આશયથી આ વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન નહીં કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, સરકારે આ વર્ષે કેટલીક મર્યાદાઓ અને કોરોનાના નિયમોના પાલન સાથે શેરી ગરબાની મંજૂરી આપી છે.

Advertisement

જોકે, જે વિસ્તારોમાં કેસ જોવા મળશે તેમને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકીને ત્યાં ગરબાનું કોઈ પણ પ્રકારનું આયોજન નહીં કરી શકાય. પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે. પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ આવશે તો ‘એપીડેમીક ડીસીઝ એકટ’ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરમાં જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ અને પ્રથમ રેડ ઝોન જાહેર થયો એ રાંદેર બાદ અઠવા ઝોન વિસ્તારમાં કોરોના સતત વકરી રહ્યો છે.

પોઝિટિવ દર્દીઓમાં ધાર્મિક તહેવારની યાત્રાની હિસ્ટ્રી જ આવી રહી છે. ત્યારે સતત વધતા કેસ જોતાં મહાપાલિકાએ રાંદેરના 30 અને અઠવા ઝોનના 41 ક્લસ્ટર એરિયામાં નવરાત્રિ નહીં યોજવા નોટીસ ફટકારી છે. એટલું જ નહીં બીજા છુટા કેસ નોંધાયા હોય અને આસપાસનાં વિસ્તારોમાં એપાર્ટમેન્ટ-સોસાયટીઓને તમામ પ્રિકોશન જાળવી નવરાત્રિ ઉજવવાની રહેશે. જો પોઝિટિવ કેસ નોંધાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની બે નોટિસ ફટકારાય છે.


Share

Related posts

બોડિબિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની પાવરલીફ્ટીંગ તેમજ બેન્ચ પ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, અન્ય ત્રણ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

નેત્રંગ ખાતે એલ.સી.બી.પોલીસે જુગાર રમતા ૧૭ જુગારીયા ઝડપી પાડયા ૪ ખેલીઓ ભાગી છુટતા તેમને શોધવા પોલીસે કવાયત હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!