Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનું આયોજન.

Share

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરાયો છે.

જેલોના વડા ડો. કે.એલ.રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલમાં બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે ” આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે નવરાત્રી મહોત્સવ નિમિતે ગરબાનું આયોજન કરવા સૂચના થતાં રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોની બેરેકમા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઇન્ચાર્જ અધિક્ષક એલ.એમ. બારમેરા દ્વારા માતાજીની આરતી કરી બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભ આરંભ કરવામાં આવતા જેલમા ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપળાની માય સેનન અને માંગરોલની વાઇબ્રન્ટ વેબ્ઝ સ્કૂલ નિયમ વિરુદ્ધ ઊંચી ફી વસુલતી હોવાની વાલી મંડળની ફરિયાદ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠનલક્ષી માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!