Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માં શારદા ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું.

Share

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓને નારી અદાલતની સમજ તથા મહિલા વિષયક તમામ ચોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ ગુજરાત મહિલા આયોગ દ્વારા ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાં માં શારદા ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવતું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓને સરકારની જુદી જુદી યોજનાઓ લાભ કઈ રીતે મળી શકે તેમજ મહિલા સાથે થઇ રહેલા અત્યાચારો સામે બંધારણીય જોગવાઈ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે અલ્પાબેન કમલેશભાઈ પટેલ, પ્રમુખ, જિલ્લા પંચાયત, ભરૂચ અતિથી વિશેષમાં વર્ષાબેન એચ. દેશમુખ, અધ્યક્ષ, મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત, ભરૂચ, આરતીબેન પટેલ અધ્યક્ષ, આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત, ભરૂચ, વિનયભાઈ વસાવા પ્રમુખ નગરપાલીકા, અંકલેશ્વર કલ્પનાબેન મેરાઈ ઉપ પ્રમુખ નગરપાલીકા અંકલેશ્વર, અરવિંદભાઇ એન. પટેલ પ્રમુખ, તાલુકા પંચાયત, અંકલેશ્વર, તૃપ્તિબેન જાની ઉપ પ્રમુખ, તાલુકા પંચાયત, અંકલેશ્વર નારી સંમેલન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ઝગડીયા તાલુકાના મૂલંદગામે વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડયો.એકટીવા પણ જપ્ત કરાય…

ProudOfGujarat

અંકલેશ્વર : વિધાનસભાના વિપક્ષના પ્રમુખ પરેશ ધાનાણીએ કેન્દ્ર અને ભાજપની સરકાર સામે આકરા પ્રહાર કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!