Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાથી લાગી આગ.

Share

ભરૂચ જીલ્લાના વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. નગરપાલિકાના બે જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં સદનસીબે મોટી દુર્ધટના ટળી જવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લામાં આવેલ વેજલપુર બહુચરાજીના ઓવારા પાસેના મકાનમાં હોનારત સર્જાઈ હતી. રસોડામાં ગેસ સીલીન્ડરમાં લીકેજ થયો હતો જેની ગંધથી ઘરના લોકોને ખબર પડી હતી જે બાદ એકાએક આગ લાગી હતી અને થોડી જ ક્ષણોમા આગ બેકાબુ બની હતી જેથી ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. જેની જાણ નગરપાલિકાને થતા પાલિકાના બે ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોચી ગયા હતા અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ પણ જાણહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષીય કિશોરીનું એક ઇસમ દ્વારા અપહરણ કરાયું હોવાની શંકા

ProudOfGujarat

સુરતમાં દંપતિનું રહસ્યમય મોત થયા બાદ તેની ૪ વર્ષની પુત્રી લાપતા

ProudOfGujarat

સુરત રેંજમાં કર્તવ્યનિષ્ઠ આઈજી ડો.રાજકુમાર પાંડીયન આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!