Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાથી લાગી આગ.

Share

ભરૂચ જીલ્લાના વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. નગરપાલિકાના બે જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં સદનસીબે મોટી દુર્ધટના ટળી જવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લામાં આવેલ વેજલપુર બહુચરાજીના ઓવારા પાસેના મકાનમાં હોનારત સર્જાઈ હતી. રસોડામાં ગેસ સીલીન્ડરમાં લીકેજ થયો હતો જેની ગંધથી ઘરના લોકોને ખબર પડી હતી જે બાદ એકાએક આગ લાગી હતી અને થોડી જ ક્ષણોમા આગ બેકાબુ બની હતી જેથી ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. જેની જાણ નગરપાલિકાને થતા પાલિકાના બે ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોચી ગયા હતા અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ પણ જાણહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

પત્નીના મોત બાદ પોલીસ અને તબીબો પર ગંભીર આક્ષેપ, ન્યાય માટે પરિવાર પહોંચ્યો ડી.એસ.પી. કચેરીએ : તપાસમાં વિલંબ અને ડોક્ટરોને બચાવવાનો પ્રયાસ થતો હોવાનો પતિનો આક્ષેપ

ProudOfGujarat

જંબુસરનાં કાવા ગામના તળાવ પાસે મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગે મગરને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો..!!

ProudOfGujarat

ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીનાં કર્મચારીએ આત્મહત્યા કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!